image

સુરકા ગામે શ્રીમદ્ ભાગવત

ગઢડા પાસે સુરકા ગામે પિતૃઓના મોક્ષાર્થે
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ
 
શ્રી વિશ્વાસભાઈ આચાર્યના વ્યાસાસને આયોજન
 
 
રંઘોળા રવિવાર તા.૧૯-૧૧-૨૦૨૩
 
ગઢડા પાસે સુરકા ગામે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. વક્તા શ્રી વિશ્વાસભાઈ આચાર્યના વ્યાસાસને આયોજન થયું છે.
 
સર્વ પિતૃઓના મોક્ષાર્થે ગઢડા પાસે આવેલા સુરકા ગામે રાજમંદિર શ્રી રાજરાજેશ્વરી રાજમાતા આવડ ખોડિયાર મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ મળી રહ્યો છે.
 
રંઘોળાના યુવાન વક્તા શ્રી વિશ્વાસભાઈ આચાર્યના વ્યાસાસને થયેલા આયોજનમાં સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ લાભ મળી રહ્યો છે. કાર્યકર્તાઓ શ્રી હસમુખભાઈ  અણઘણ, શ્રી હરેશભાઈ ગઢિયા, શ્રી મહેશભાઈ ઢોલા સાથે ગ્રામજનોના સંકલન સાથે આ કથામાં વિવિધ પ્રસંગોની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે.