image

પ્રવેશદ્વાર ઉદ્દઘાટન કાર્યક્રમ

ઈશ્વરિયા ગામે તુલસી વિવાહ સાથે ગામના પ્રવેશદ્વાર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો
 
ઈશ્વરિયા રવિવાર તા.૬-૧૧-૨૦૨૨
 
ઈશ્વરિયા ગામે ઉમંગ ઉત્સાહ સાથે તુલસી વિવાહ  પ્રસંગ સાથે પ્રવેશદ્વાર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો.
 
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે વતનપ્રેમી દાતા નાકરાણી પરિવાર દ્વારા ધોરી માર્ગ પર શ્રી ખોડિયાર માતાજીની પ્રતિમા સાથે ગામનું સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરાવાયું છે, તેનું ઉદ્ઘાટન શનિવારે શ્રી રણછોડભાઈ નાકરાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
 
ઈશ્વરિયા ગામમાં આ દિવસે તુલસી વિવાહ આયોજન સાથે સમગ્ર ગામ માટે ઉત્સવનું વાતાવરણ ઉભુ થયુ. આયોજનમાં શ્રી દિલીપભાઈ નાકરાણી તથા શ્રી પંકજભાઈ નાકરાણી સાથે ગામના આગેવાન કાર્યકરો તેમજ ગ્રામજનો ઉમંગ ઉત્સાહ સાથે જોડાયેલા હતા તથા સમૂહ પ્રસાદ ભોજન લાભ લીધો હતો.