image

કૃષ્ણપરા સ્મશાનગૃહ સફાઈ

કૃષ્ણપરા ગામે સ્મશાનગૃહમાં સફાઈના પાઠ 
 
ઈશ્વરિયા શનિવાર  તા.૧૧-૩-૨૦૨૩
 
સિહોર તાલુકાના પ્રગતિશીલ ગામ કૃષ્ણપરામાં ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળાના સંકલન સાથે વિવિધ પ્રવૃત્તિ થાય છે. અહી આચાર્ય શ્રી મનસુખભાઈ સાસાણી અને શિક્ષકગણના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ સ્મશાનગૃહમાં સ્વચ્છતા અને સફાઈના પાઠ ભણ્યા. સરપંચ શ્રી હરિશંગભાઈ ગોહિલના નેતૃત્વમાં દાતા ગ્રામજનોના સહયોગ સાથે અહી સુવિધા અને સ્વચ્છતા માટે પ્રશસ્ય કામગીરી થઈ રહી છે.