image

શિવકુંજ આશ્રમ જાળિયા મહાશિવરાત્રી પર્વ

શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા મજુરો અને બાળકોને
ભોજન કરાવી મહાશિવરાત્રી પર્વ ઉજવણી
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ગુરુવારથી શનિવાર
દરમિયાન મહારુદ્રાભિષેક સાથે શિવ પૂજન વંદના
 
જાળિયા શુક્રવાર તા.૧૭-૨-૨૦૨૩
 
મહા શિવરાત્રી પર્વ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ત્રિદિવસીય આયોજન થયું, જેમાં મજુરો અને બાળકોને ભોજન અને શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં મહારુદ્રાભિષેક સાથે શિવ પૂજન વંદનામાં ભાવિકો જોડાયા છે.
 
વિવિધ ધાર્મિક પર્વ ઉત્સવોને માત્ર ક્રિયાકાંડ નહિ પરંતુ સામાજિક ચેતના જગાવવાના અભિગમ સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આયોજનો થતાં રહે છે. મહાશિવરાત્રી પર્વ પ્રસંગે ત્રિદિવસીય આયોજન થયું, જેમાં મજુરો અને બાળકોને પ્રસાદ ભોજન લાભ મળ્યો છે. 
 
શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે ગુરુવારે ઉમરાળા તાલુકાના માંડવા, લીમડા તથા જાળિયા અને પાલિતાણા તાલુકાના અણિડા ગામમાં બટુક ભોજન કરાવવામાં આવેલ.
 
આશ્રમમાં શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા મહારુદ્રાભિષેક અને સોમનાથ મહાદેવની પૂજન વંદનામાં ભાવિકો જોડાયા છે.